12 માર્ચ, 2018

કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો


માંગરોળ તા.રર. અહીંની ભારત સરસ્વતી મંદિર સંસદ સંચાલિત શ્રી એમ.એન.કંપાણી આટ્‌ર્સ એન્ડ શ્રી એ.કે.શાહ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યાખ્યાનો પારીતોષિક વિતરણ, પુસ્તક લોકાર્પણ અને પ્રતિભાવંતોના સમ્માન, જેવા ઉપક્રમો સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડો. જે.પી. મૈયાણી સાહેબ રહ્યા હતા. આ ઉપરાંત અતિથિવિશેષ તરીકે કેશોદ પ્રાંતના અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટે્ટશ્રી રેખાબા સરવૈયા જુનાગઢના પ્રાંતઅધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટે્ટશ્રી હિતેષસિંહ ઝણકાટ તથા બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રાચાર્યશ્રી ડો. રાજેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.
        સમગ્ર કાર્યકમ બે વિભાગમાં યોજવામાં આવ્યો હતો સવારે કોલેજના વિધાર્થીઓએ નૃત્ય રજુ કર્યા હતા. અતિથિઓના આગમન પછી શાસ્ત્રીય નૃત્યમાં ગણેશ સ્તુતિ રાજસ્થાની અને ગુજરાતીરાસ જેવી કૃતિઓ રજુ થઈ હતી કોલેજના પ્રાચાર્યશ્રી ડો.હમીરસિંહ ઝણકાટે સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપીને મહેમાનોને હુંફાળો આવકાર આપ્યો હતો. અતિથિઓનું સ્વાગત પુષ્પગૂચ્છ, સ્મૃતિ ચિહ્‌ન અને શોલ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. શારદાગ્રામ સંસ્થાનાં નિયામક શ્રી ભાવીનભાઈ ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. પ્રતિભાવંતોના સમ્માન અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાં નેટ ની પરીક્ષા પાસ કરનાર કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી સચીન પીઠડીયા અને માંગરોળની કન્યા વિનય મંદિરના આચાર્યા શ્રેષ્ઠ શિક્ષક ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનાર, કોલેજના ભુતપુર્વ વિધાર્થીની મંજુલાબેન ડોડિયાને સમૃતિચિહ્‌ન અને શોલ અર્પણ કરીને સમ્માન કરવામાં આવ્યુ હતુ. કોલેજના અગે્જી વિષયના અધ્યાપક ડો.બિપીન પરમાર લિખિત પુસ્તકનું લોકાર્પણ  ડો. મૈયાણી સાહેબ અને રેખાબા સરવૈયાએ હસ્તે કરવામાં આવ્યુ હતું, પુસ્તક વિશેની પ્રાથમિક માહિતી ડો. બિપીન પરમારે આપી હતી.
        પ્રાસંગિક ઉદ્‌બોધનના દેોરમાં રેખાબા સરવૈયાએ કેળવણી અને શિક્ષણ વચ્ચેનો તફાવત રજુ કર્યો હતો. બહાઉદ્દીન કોલેજનાં પ્ર્રાચાર્યશ્રી ડો.રાજેશ ભટ્ટે સેોરાષ્ટ્ર ભૂમિનો મહિમા વ્યકત કરીને વિધાર્થીઓને પોતાની આસપાસ પોતેજ બાંધી લીધેલા સંકોચનાં કોચલાને તોડવાની વાત કરી હતી. મંજુબહેન ડોડિયાએ પોતાના વિધાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા હતાં.
        અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઉપકુલપતિ ડો. જે.પી.મૈયાણીએ પ્રસંગ કથા રજુ કરીને વિધાર્થીઓને વિચારશકિતને આવાહન આપીને અંદરની મૂડી, અંદરનુ કૈાવત વધારવાની વાત કરી હતી. એમણે વિધાર્થીઓને જણાવ્યું હતુકે આજના સંધર્ષના, સ્પર્ધાના યુગમાં લાગવગથી નહી પરંતુ લગાવથી બધુ મળે છે એમ કહ્યુ હતું.
        પ્રાસંગિક ઉદ્‌બોધનો પછી વર્ષ ર૦૧૭ દરમિયાન B.A., B.COM., BCA માં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ક્રમાંકે આાવેલા વિધાર્થીઓને પારિતોષિકો મહેમાનોના વરદ્‌ હસ્તે અર્પણ કરાયા હતાં આ ઉપરાંત ખેલકૂદ, રાષ્ટ્રીય સેવાયોજના, કલામહાકુંભ, યુનિ.યુવક મહોત્સવ વગેરેમાં ક્રમાંકિત થયેલા વિધાર્થીઓને પણ સમ્માનિત કરવામા આવ્યા હતા. ક્રાર્યક્રમમાં શ્રી મેરામણભાઈ યાદવ, શ્રી વાલભાઈ ખેર, બી.આર.એસ. કોલેજના આચાર્ય ડો. આઈ. જી. પુરોહિત, બી.એડ્‌ કોલેજના આચાર્ય ડો. માલાભાઈ ડોડિયા, સેોરાષ્ટ્ર યુનિ. ના સિન્ડિકેટ સભ્ય પ્રશાંત ચ્હાવાલા, કોલેજનાં અધ્યાપકો અને બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. કાર્તિકભાઈ ભડાણિયાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. રમેશ મહેતા અને BCA નાં છાત્રા કુ. આયેશા તુર્ક એ કર્યુ હતું.

8 જાન્યુઆરી, 2018

ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ

 ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ


શારદાગ્રામ સંસ્થાના પ્રમુખ સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડીનું પરમધામમાં પ્રયાણ થતા સમગ્ર સંસ્થા પરિવાર ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ અર્પે છે.



સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડી

"જે કર્મ અને જીવન એકબીજા સાથે જોડાયેલા છે તેવું બતાવનાર"

સત્કાર્યો આપની શોભા હતી
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...

આપની શ્રી શારદાગ્રામ સંસ્થા માટેની ભાવના અને આપના દ્વારા થયેલ કાર્યો અમને તમારી યાદ અપાવતા રહેશે અને અમારા હ્રદયમાં આપને જીવંત રાખશે.