13 ફેબ્રુઆરી, 2019

કોલેજનાં છાત્રોને સુવર્ણ ચંન્દ્રકો એનાયત

માંગરોળની કંપાણી કોલેજનાં છાત્રોને સુવર્ણ ચંન્દ્રકો એનાયત

માંગરોળ તા.07/02/2019

શારદાગ્રામ સંચાલિત માંગરોળની શ્રી એમ. એન. કંપાણી કોલેજમાં પી.જી.ડી.સી.એ. ના છાત્રો સર્વશ્ર્રી અંકિતા ગોપાલભાઈ ડાકી અને સુભાષ ભીમાભાઈ ભરડાને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયેલા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજયના રાજયપાલ શ્રી. ઓ.પી. કોહલીજીના વરદહસ્તે અનુક્રમે સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવેલા. અંકિતાએ સમગ્ર યુનિ.માં પ્રથમ અને સુભાષે સમગ્ર યુનિ.માં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે. કોલેજના આચાર્યશ્રી અને અધ્યાપક પરિવારે બન્ને છાત્રોને અભિનંદન પાઠવ્યા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો