24 જૂન, 2019

માંગરોળ કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ


અહીંની શ્રી ભારત સરસ્વતી સંસદ સંચાલિત શ્રી એમ. એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં વિશ્વયોગ દિવસના વિશેષ ઉપલક્ષમાં યોગ વિશેની માહિતી સાથે યોગાસનોના નિદર્શનો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોલેજમાં શારીરિક શિક્ષણનાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત ડો.કાર્તિકભાઈ ભડાણીયાએ યોગાસનો કરાવ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતા ર૦૦ જેટલા વિધાર્થીઓએ કોલેજના આચાર્યશ્રી ડો. એચ. ડી. ઝણકાટ શોક્ષણિક અને વહિવટી કર્મચારીઓએ ભાગ લીધો હતો.
યોગ દિવસની ઉજવણીમાં માંગરોળનાં મામલતદારશ્રી બેલડીયા સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી આચાર્ય સાહેબ તથા બહોળી સંખ્યામાં માંગરોળ પોલીસ કચેરીના કર્મચારીઓ પણ ઉપસ્થીત રહયા હતા. શ્રી કાર્તીકભાઈ ભડાણીયાએ કેટલાંક મહત્વના યોગાસનો વિશે વિસ્તૃત માહિતી આપીનેએ આસનો ભાગ લેનાર ઉપસ્થિત સૈા કોઈને નિદર્શન સાથે કરાવ્યા હતા કાર્યક્રમ ઉત્સાહ સભર વાતાવરણમાં સફળતા સાથે સંપન થયો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો