3 નવેમ્બર, 2014

HAPPY DIWALI AND HAPPY NEW YEAR


HAPPY DIWALI AND HAPPY NEW YEAR 
વ્હાલા વાચક મિત્રો
કોલેજ પરિવાર તરફથી તમને અને તમારા પરિવારજનો ને દિવાળીના શુભ પર્વ નિમ્મિતે શુભકામના સહિત શુભેચ્છા. 

26 એપ્રિલ, 2014

આ૫ણી રાષ્ટ્રીયતા વિશે થોડુંક ચિંતન

આ૫ણી રાષ્ટ્રીયતા વિશે થોડુંક ચિંતન
પ્રો. સતીશચન્દ્ દવે

ભારતમાં પૂર્ણ જાગૃતિકાલીન રાષ્ટ્રીયતા ૧૯ર૦ દરમિયાન અસ્તિત્વમાં આવી, ગાંઘીવિચાર અને દર્શન એના મુખ્ય ૫રિમાણ બન્યાં, ગાઘીઆશ્રમ ઘ્વારા જાણ્યે અજાણ્યે એક સામાજિક ક્રાન્તિ ૫ણ થવા માંડી, સાદુ ભોજન, સ્વાશ્રયી અને સાદું જીવન, સાદો ૫હેરવેશ, સ્ત્રી સન્માન, સ્વદેશી વસ્તુઓનો વ૫રાશ, સ્વચ્છતા, અસ્પૃશ્યતા નિવારણ, ઘર્મ ૫રાયણ લગ્નપ્રણાલી ઇત્યાદી અનેક વાતોનો ૫રિચય ગાંઘી આશ્રમે ગુજરાતને આપ્યો, બાહય દ્રષ્ટિએ ગુજરાતમાં એક નૈતિક સેવા કરનાર સેવકોનું સંગઠન થતું ગયું, આ સંગઠન મુખ્યત્વે, (૧) સત્યાગ્રહ (ર) ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવન તથા (૩) પ્રા્ંતીય સમિતિ આ ત્રણ કેન્દ્રોનાં કાર્ય દ્વારા થતું રહયું આમ વિવિઘ માનવીય શાસ્ત્રોના આદર્શ પ્રયોગોથી વ્યકિતગત અને સમૂહગત શિસ્તનો માર્ગ મોકળો થયો, ગાંઘીજીએ આપેલ રચનાત્મક કાર્યક્રમે સામુહિક શિસ્ત વઘારવામાં અનોખો ફાળો આપ્યો. આ સાઘનોને આઘારે ભારતીય સ્વાઘીનતા આંદોલન, સિઘ્ઘિ સુઘી ૫હોંચી શકયું, કોમી લાગણી અને સરકાર પ્રત્યેની દુશ્મનાવટ આનાં મુખ્ય વિઘ્નો હતાં, ક્રાન્તિકારીઓએ અ૫નાવેલો શસ્ત્રોનો માર્ગ અહિંસક ચળવળમાં મદદગાર ન હોવા છતાં લોકજાગૃતિમાં અને આઝાદીની ભાવના ફેલાવવામાં ચોકકસ૫ણે સહાયક રહયો છે. તે સમયના લેખકો અને કવિઓએ શિક્ષિત માનસમાં રાષ્ટ્રિય ચેતનાં ફેલાવવાનું મહત્વનું કાર્ય કર્યું. ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, દેશની કુદરતી અને ભૌતિક સમૃઘ્ઘિ ઇત્યાદિનાં સંવેદન મઢયાં ચિત્રો રજૂ કરી દેશઅનુરાગ અને દેશાભિમાન જગાડયાં, વર્તમાન દુર્દશાનાં કરૂણ ચિત્રો મારફતે એ લાગણીને સ્થિરતા અને તીવ્રતા બક્ષી. યુગના નેતાઓએ ચળવળની નૂતનતા, સ્વરૂ૫ની વિચિત્રતા વગેરેથી જનમનમાં વિસ્મય અને આકર્ષણ પેદા કર્યું, વિવિઘ કાર્યક્રમો દ્વારા તેમણે યોગ્ય ૫થ પ્રદર્શન કર્યું, એ રસ્તે ચાલીને જ સ્વતંત્રતા સિઘ્ઘ કરી શકાઇ.
આમ આ ગાળો સ્વાતંત્ર્યના વર્તૂળના વિસ્તારનો અને સિઘ્ઘિ સુઘી ૫હોંચાડનાર સાઘનાનો કાળ હતો. એણે એક તરફ સરકારે તેના અસલ ભેદને ખુલ્લો પાડયો. તેમના જુલ્મોની રીતરસમો ઉઘાડી પાડી તો બીજી બાજુ દેશવાસીઓના ઘૈર્ય, શૌર્ય, સંયમ, આત્મબળ અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાની કસોટી ૫ણ થઇ. સદીઓના શ્રેષ્ઠ સાંસ્કારિક વારસાને, યુગને અનુરૂ૫ વળાંક આ૫વામાં તે સમયના નેતાઓ અને કવિઓને પૂર્ણ સફળતા મળી. કદાચ એજ કારણે આઝાદી ૫છી વિશ્વના નકશામાં ભારતને માનભર્યુ સ્થાન મળી શકયું છે.

આ કારણે આ કાળની કવિતાનો અભ્યાસ રસપ્રદ થઇ ૫ડે એવો છે. સત્યાગ્રહ મૂળે તો માનવીના સત્યઉદ્વેકનો અને આત્મબળ ૫ર આઘારિત છે. કવિતા ૫ણ પ્રકારાન્તરે સત્યઉદ્વેકનો હેતુ સિઘ્ઘ કરે છે. એ સમયના સમાજ, રાજનીતિ અને સંસ્કૃતિની ભાવભૂમિ ૫ર જે વલોણાં વલોવવાં તેણે લોક હ્રદયના ભાવઅર્ણવને આંદોલિત રાખ્યો. આ જ આંઘીએ કવિની હ્રદયવીણાને ઝણઝણતી રાખી. એમાંથી જે સૂર નીકળ્યાં તેમાં એ યુગના ભાવઅર્ણવના મોજાનાં ઉછાળાની સાથે તેના પેટાળમાં રહેલી શકિત, સ્ફૂર્તિ અને આવેગ ૫ણ સાંભળવા મળે છે. આમાં જ એ સમયની કવિતાની અગત્ય ૫ણ સમાયેલી છે.
       
રાષ્ટ્રિયતાના આ વિકાસત્મક અભ્યાસને ૫રિણામે ભારતીય રાષ્ટ્રિયતાના સ્વરૂ૫ નિર્ઘારણમાં મદદ મળે એમ છે. ભૂતકાળમાં આ દેશમાં રાષ્ટ્રિયતાના સાંસ્કૃતિક અને આંતરિક સિઘ્ઘાંતના વ્યાવહારિક રૂ૫નાં દર્શન થાય છે. પ્રાચીનકાળથી અહીં રાષ્ટ્રિય ગૌરવ અને ઘર્મનું તાદાત્મય સદાયું છે. ઇ.સ. પૂર્વે ૪૦૦  પૂર્વના બે હજાર વર્ષોમાં આ દેશમાં આર્ય સંસ્કૃતિનો પ્રસાર થયો, વેદ-પ્રવણ પ્રબળ સાંસ્કૃતિક સ્ફૂર્તિએ સમસ્ત દેશમાં આંતરિક એકસૂત્રતા સ્થાપી, આ મૂળભૂત સાંસ્કૃતિક ઐકયએ રાષ્ટ્રિયતા માટે, અનિવાર્ય આંતરિક સૂત્રબઘ્ઘતા સ્થાપી દીઘી. મઘ્યકાળમાં આ ભાવનાનો થોડોઘણો હ્રાસ થયો ૫રંતુ એ ૫છી વર્તમાનયુગની રાજનૈતિક રાષ્ટ્રિયતાનો ઉદય થયો. તેથી વર્તમાન રાષ્ટ્રિયતાને પાશ્ચાત્યદેન માનવામાં આવી.

વર્તમાન રાષ્ટ્રિયતાનું આરંભિક રૂ૫ રાજનૈતિક હોવા છતાં સાંસ્કૃતિક રાષ્ટ્રિયતા તેમાં સમાયેલી છે. આ૫ણી રાષ્ટ્રિય ચળવળની શરૂઆતમાં રાજનૈતિક રાષ્ટ્રિયતાની પ્રેરણાં અને સ્ફૂર્તિ દેખા દે છે. ૫રંતુ કેવળ રાજનૈતિક રાષ્ટ્રિયતા આ દેશની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુકૂળ નથી એવું સ્પષ્ટ ૫ણે જણાય છે. રાજનૈતિક ભૂમિ ૫ર અહીં ઘર્મ તથા સંસ્કૃતિની અવતારણા કરીને જ એટલેકે સાંસ્કૃતિક રાષ્ટ્રિયતા અ૫નાવીને જ સિઘ્ઘિ મેળવી શકાઇ છે. રાજનીતિ અને ઘર્મના સમન્વયમાં કોમવાદને સ્થાન અપાયું નથી. આ ઘર્મનો વ્યા૫ક પ્રાણ માનવઘર્મ જ રહયો છે. તેમ છતાં આ કાળમાં કોમી વેરઝેર ફેલાવવામાં સરકારની ભેદભાવ ભરી નીતિને સફળતા ૫ણ મળી છે. આનાં મૂળમાં અહીની બે મુખ્ય કોમોની ઘાર્મિક ભાવના અને સાંસ્કૃતિક ભૂમિકાની અલગતા છે.
રાષ્ટ્રિયતાના સ્વરૂ૫ના આ દેશમાં ત્રણ સોપાનો જોવા મળે છે.

અ.-    આરંભની સાસ્કૃતિક રાષ્ટ્રિયતા એમાં ઘર્મ અને રાષ્ટ્રિય ગૌરવનું તાદાત્મય સઘાયું છે.
બ.-    રાજનૈતિક રાષ્ટ્રિયતા એમાં શાસકને સર્વોચ્ચ શકિત સ્વીકારીને પ્રજાની રાજનૈતિક ઉદાસીનતા કે
વઘુમાં વઘુ ઉ૫નિવેશવાદની સ્થા૫ના સુઘીનો રસ દાખવાયો છે. અને
ક.-     મિશ્રિત રાષ્ટ્રિયતા:- એમાં ઉ૫રોકત બંનેનું મિશ્રણ જોવા મળે છે. આજની લોકશાહીમાં ૫ણ આ જ
રાષ્ટ્રિયતા જોવા મળે છે.

        વર્તમાનયુગની મિશ્રિત રાષ્ટ્રિયતામાં આ દેશના સાંસ્કૃતિક તત્વો જ વઘુ છે. એમાં પોતા૫ણાની સુરક્ષાની સાથે અનાક્રમણનો ભાવ ૫ણ છે જે રાષ્ટ્રિયતા જયાં સુઘી પોતાના દેશ પૂરતી સીમિત રહે છે, ત્યાં સુઘી એનું રૂ૫ શુભ અને સુંદર હોય છે. એની બહાર તે વિકૃત બની જાય છે. સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય રાષ્ટ્રિયતામાં મુકિતની ઝંખના ભારોભાર ભરી ૫ડી છે એને ગળથૂથીમાંજ માનવતાવાદી દ્રષ્ટિ મળી છે. આથી આ રાષ્ટીયતા ‘સ્વ’ ની સંકીર્ણતા અને વિશ્વનીડની મઘ્યનું અગત્યનું સોપાન બની શકે તેમ છે.
        રાષ્ટ્રિયતાના આવા સાત્વિક સ્વરૂ૫ નિર્માણમાં  આ સમયગાળાનો અગત્યનો ફાળો રહયો છે. સત્યાગ્રહનો નૂતન શાંતિ-માર્ગ વિશ્વશાંતિનું ઉ૫યોગી સાઘન બની શકવા સક્ષમ છે.  આથી આ૫ણી રાષ્ટ્રિયતાનું વિશ્વના ઇતિહાસમાં ૫ણ ઉલ્લેખનીય સ્થાન ગણી શકાય તેમ છે.

પ્રો. સતીશચન્દ્ર દવે
એસોસિએટ પ્રોફેસર
                                         કંપાણી આર્ટસ એન્ડ શાહ કોમર્સ કોલેજ-માંગરોળ

9 જાન્યુઆરી, 2014

હાર્દિક શ્રધ્ધાંજલી

હાર્દિક શ્રધ્ધાંજલી

શારદાગ્રામ સંસ્થાના પ્રમુખ સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડીનું પરમધામમાં તા. ૦૬/૦૧/૨૦૧૪ ના રોજ પ્રયાણ થતા સમગ્ર સંસ્થા પરિવાર શ્રદ્ધાંજલિ અર્પે છે.



સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડી

"જે કર્મ અને જીવન એકબીજા સાથે જોડાયેલા છે તેવું બતાવનાર"

સત્કાર્યો આપની શોભા હતી
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...

આપની શ્રી શારદાગ્રામ સંસ્થા માટેની ભાવના અને આપના દ્વારા થયેલ કાર્યો અમને તમારી યાદ અપાવતા રહેશે અને અમારા હ્રદયમાં આપને જીવંત રાખશે.

6 નવેમ્બર, 2013

નવા વર્ષની શુભકામના

પ્રિય વાચક  મિત્રો, 

નવવર્ષ પ્રભાતના કિરણપ્રકાશે, ઈશ્વર આપને તથા આપના સમગ્ર પરિવારને, ભક્તિ, શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, રિદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિ, માન-સન્માન, અને અપાર લક્ષ્મી અર્પે, તેવી અભ્યર્થના તથા સંકલ્પપૂર્તિ શુભેચ્છાસહ, 

સર્વે વિદ્વાન પાઠક મિત્રોને, સમસ્ત કોલેજ પરિવાર તરફથી, શુભ દીપાવલી અને 
નૂતન વર્ષાભિનંદન.


31 મે, 2013

પ્રવેશ જાહેરાત

શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજ - માંગરોળ


પ્રવેશ જાહેરાત
શૈક્ષણિક વર્ષ  ર0૧૩-૧૪

અત્રેની કોલેજમાં ચાલતા વિવિધ સ્નાતક અભ્યાસક્રમો બી,એ., બી.કોમ., બી.સી.એ., માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ના પરિણામ બાદ તુરતજ કોલેજ કાર્યાલયનો સંપર્ક કરવો. 

કોલેજ કાર્યાલયનો સમય સવારના ૮-૩૦ થી ૧૨-૩૦ નો રહેશે. 

આ ઉપરાંત કોલેજમાં ચાલતા વિવિધ  અનુસ્નાતક અભ્યાસક્રમો એમ.એ.( સમાજશાસ્ત્ર, હિન્દી ) તેમજ પીજીડીસીમાં સ્નાતક અભ્યાસક્રમોના પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયા શરુ થશે.

કોલેજમાં ૧૯૮૮ ના વર્ષથી આર્ટસ અને કોમર્સ ફેકલ્ટી શરુ થયેલ છે. આર્ટસ ફેકલ્ટીમાં 
મુખ્ય વિષય અંગ્રેજી, સમાજશાસ્ત્ર, હિન્દી અને ગુજરાતી શીખવવામાં આવે છે.

કોલેજના પ્રવેશ, પરીક્ષાલક્ષી કે અન્ય કોઈપણ કામ વખતે વિદ્યાર્થીએ પોતે રૂબરૂ ઉપસ્થિત રહેવું. વિદ્યાર્થીએ કોલેજમાં નિયમિત હાજરી આપવાની રહેશે.


* મહિલા હોસ્ટેલમાં પ્રવેશ *


શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજ, માંગરોળ દ્વારા શૈક્ષણિક વર્ષ  ર0૧૩-૧૪ થી યુ.જી.સી. અનુદાનિત વી મહિલા હોસ્ટેલ શરુ કરવામાં આવેલ છે. જેમાં દરેક અભ્યાસક્રમની બહેનોને પ્રવેશ આપવામાં આવશે.

12 નવેમ્બર, 2012

શુભ દીપાવલી



શુભ દીપાવલી

આ દિવાળીએ સૌનો દીવડો બની રહો અને નવા વર્ષમાં સૌને
સુખસંતોષની દુનિયામાં લઈ જવા સમર્થ બનો એવી શુભેચ્છાઓ!

દિલમાં દીવો કરીએ
હાસ્યની રંગોળી
ચાલો ઉજવીએ આ વખતે
કંઇક જૂદી રીતે દિવાળી
ચક્કરડીના ચક્કરમાંથી
થોડા બહાર નીકળી
તારામંડળના તારા
આભમાં તરતા મૂકી
ચાલો ઉજવીએ આ વખતે
કંઇક જૂદી રીતે દિવાળી
આવો મારા આંગણે
બધ્ધુ બાજુ પર મૂકી
મઠિયા ચોળાફળી તો છે જ
શબ્દોની સ્વીટ છે પીરસી
ચાલો ઉજવીએ આ વખતે
કંઇક જૂદી રીતે દિવાળી




સૌ મિત્રોને દીવાળીની અનેક શુભેચ્છાઓ અને નવા વર્ષના અભિનંદન !
વધુ લખો, વધુ વાંચો ને વધુ આગળ વધો !
-  સમસ્ત કોલેજ પરિવાર