અહીંની કંપાણી એન્ડ
શાહ આર્ટસ કોમર્સ કોલેજમાં સ્ત્રીસશક્તિકરણ યુનિટના ઉપક્રમે ભારતીય સંસ્કૃતિના
મહત્વના તહેવાર ‘રક્ષાબંધન’ નિમીતે માંગરોળ શહેરના બ્રહ્માકુમારીઝ કેન્દ્રના
સહયોગમાં રક્ષાબંધનની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી હતી. આચાર્યશ્રી ડો.
હમીરસિંહ ઝણકાટે સ્વાગત ઉદ્દ્બોધન કર્યું હતું. શીતલબેન ઠાકોરે ભુમિકા બાંધી હતી.
પ્રો. જગૃતિબેન ધડુસે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. બ્રહ્માકુમારીઝ કેન્દ્રના
પુષ્પાબેને વિસ્તૃત રીતે રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ કોલેજના
વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોએ રક્ષા બાંધી અને શુભાશિષ પાઠવી હતી. કાર્યક્રમમાં
બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. બ્રહ્માકુમારીઝ બહેનોએ
અધ્યાપક ભાઇઓ અને બહેનોને પણ રક્ષા બાંધી
હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો