13 ઑગસ્ટ, 2016

મહિલા સુરક્ષા અને મહિલા કાનુન વિશે વ્યાખ્યાન યોજાયું

તા. ૧૦/૦૮/ર૦૧૬ ગુજરાત સરકાર ઘોષિત સ્ત્રી સશકિતકરણ પખવાડિયાની ઉજવણીના સંદર્ભમાં ભારત સરસ્વતી મંદીર શારદાગ્રામ સંચાલિત આર્ટસ કોમર્સ કોલેજના ભવનમાં મહિલા સુરક્ષા અને મહિલાઓને લગતા કાનૂન વિશે જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફસ્ટકલાસ કોર્ટ, માંગરોળમાં આસિસ્ટન્ટ લોયર તરીકે ફરજ બજાવતા શ્રી મયુરીબેન છાંટબારનું વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું. જેમણે વિદ્યાર્થી બહેનોને ભારતીય બંધારણના વિવિધ કાયદાઓ જેવાકે જાતીય સતામણી, ઘરેલુ હિંસા, માનવ અધિકાર, મહિલા સુરક્ષા અધિનિયમોની માહિતી, તેમજ ભૃણહત્યા પરિક્ષણનો કાયદો વગેરેની માહિતી આપી હતી. આ પ્રસંગે આર્ટસ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. એચ.ડી. ઝણકાત, કોલેજની અધ્યાપક બહેનો અને સંસ્થાની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. જાગૃતિબેન ધડુસે કર્યું હતું અને સંસ્થાવતી આભાર વિધિ  ડો. શીતલબેન ઠાકોરે કરી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી બહેનોએ કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીમાં ભાગ લઈને એમની જિજ્ઞાસા વ્યકત કરી હતી. આ કાર્યક્રમ ખૂબજ સફળ રહયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો