13 ઑગસ્ટ, 2016

માંગરોળ કોલેજમાં થેલેસેમિયા જાગૃતિ વિષયક વ્યાખ્યાન યોજાયું

માંગરોળ તા. ૧/૭/૧૬
અહીંની શ્રી એમ.એન. કંપાણી આર્ટસ અને શ્રી એ.કે. શાહ કોમર્સ કોલેજમાં પોરબંદરની મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજના નિવૃત આચાર્યશ્રી ડો. સી.જી. જોશીસાહેબનું 'થેલેસેમિયા અવેરનેસ જનરેટીંગ' વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વ્યાખ્યાન પ્રારંભે કોલેજના આચાર્યશ્રી ડો. હમિરસિંહ ઝણકાત સાહેબે સ્વાગત ઉદબોધન કરીને વ્યાખ્યાનની ભૂમિકા બાંધી હતી. ડો. સી.જી. જોશીસાહેબએ થેલેસેમિયા રોગના કારણો, ઉપાયો અને તદવિષયક જાગૃતિ વિશે ઉદાહરણ સહિત વિસ્તારથી વાત કરી હતી. એક કલાકના અસ્ખલિત ઉપયોગી વ્યાખ્યાનમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અધ્યાપકો સર્વશ્રી ડો. અમરસિંહ સોસા, અને ડો. રીનાબેન ગામિત ઉપસ્થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો